Google Search

Tuesday, October 2, 2012

ગઝલના શેર છે !



માનવીને માનવીમાં ફેર છે,
લાગણી સાથે મગજને વેર છે.
અંતમાં અસબાબ જોયો તો મળ્યા,
માલ- મિલ્કત બસ ગઝલના શેર છે !
કોણ સમજે લાગણીનું મૂલ્ય પણ?,
દોડતું ને ભાગતું આ શ્હેર છે.
આપણાં માન્યાં હતાં જેને સદા,
એ જ આખર નીકળ્યા તો ગેર છે.
જિંદગી આ જીવવાની ને પછી-,
શિવ કહેશે? શું ખરેખર ઝેર છે.

- રાકેશ ઠક્કર

No comments:

Post a Comment