Google Search

Monday, May 12, 2025

મુંઝાય છે મન

મુંઝાય છે મન કે આ સાહિત્યની દુનિયા રહી નથી,

મૌલિક અને સારુ લખનારની અહીં જરૂર નથી.


રોમેરોમે શબ્દોનો આસ્વાદ થાય એવું લખાણ નથી,

હૈયા અને ભાવનાના ભાવોનો આસ્વાદ નથી.


માણી રહી છું એ રચનાઓ જેનો કોઈ અર્થ નથી,

સારુ છે સરસ્વતી દેવી તમે આસપાસ નથી.


પરંતુ સાચા અને સારા લેખકોની પણ કમી નથી,

સારુ સાહિત્ય લખનારને વાહવાહની જરૂર નથી.


મારી આ વાતોથી કોઈ અહીં સહમત નથી.....

No comments:

Post a Comment