મુંઝાય છે મન કે આ સાહિત્યની દુનિયા રહી નથી,
મૌલિક અને સારુ લખનારની અહીં જરૂર નથી.
રોમેરોમે શબ્દોનો આસ્વાદ થાય એવું લખાણ નથી,
હૈયા અને ભાવનાના ભાવોનો આસ્વાદ નથી.
માણી રહી છું એ રચનાઓ જેનો કોઈ અર્થ નથી,
સારુ છે સરસ્વતી દેવી તમે આસપાસ નથી.
પરંતુ સાચા અને સારા લેખકોની પણ કમી નથી,
સારુ સાહિત્ય લખનારને વાહવાહની જરૂર નથી.
મારી આ વાતોથી કોઈ અહીં સહમત નથી.....
No comments:
Post a Comment