Google Search

Monday, May 12, 2025

કેમ રચું કવિતા ?

કેમ રચું કવિતા?


દુહામાં દેહ અટકાય ને,

મુક્તકમાં મન અટવાય,


બોલું ના તો શબ્દો ગૂંચવાય,

ને લખતા મારી પેન અટકાય,


મને ન સમજાય કે કેમ રચું કવિતા?


હાસ્યને લખ્યું તો આંસુ રૂંધાય,

ને આંસુને લખતા મારી આંખ ભીંજાય.


શબ્દોની ઘટમાળમાં મારી લાગણીઓ ગૂંચવાય.


મને ના સમજાય કે કેમ રચું કવિતા?

No comments:

Post a Comment