Google Search

Tuesday, May 13, 2025

બધા માનવીઓ અમર હોય જાણે - ‘આદિલ’ મન્સૂરી

 સંબંધોય કારણ વગર હોય જાણે

આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઇને ફરે એમ પાગલ,
રહસ્યોની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પુરાઇ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.

‘આદિલ’ મન્સૂરી

No comments:

Post a Comment