Google Search

Sunday, August 26, 2012

આવી જજો



તમારા વિયોગમાં મારો પ્રાણ જાય,
ત્યારે તમે આવી જજો.

હું નથી હયાત હવે, એવી વાત માની લેજો.
ભલે સ્વજનો મારા દુ:ખી હોય,
પણ તમે ખુશીઓ મનાવી લેજો.

એક હતો દુશ્મન એ પણ નથી રહ્યો,
એવો દિલાસો દિલને આથી દેજો.

ભલે લોકો મારી કાર્યોની પ્રશંસા કરે,
પણ તમે મારી નિંદા કરી લેજો.

અમર છે નામ મારું, તો પણ બદનામ થાય તેવી કોશિશ કરી લેજો.
એક વાર અરથી પર આવી, ચહેરો જોઇ જજો.

ફૂલોનો હાર નહીં, નફરત તમારી ચડાવી જજો
બસ, હવે નથી રહ્યો તમારો દીવાનો,
એની ખુશીઓ મનાવી લેજો.

-અજય રાવળ,

No comments:

Post a Comment