Google Search

Wednesday, August 22, 2012

નીકળે કેટલા !



શબ્દ ઘૂંટયા બાદ નવલા અર્થ નીકળે કેટલા ?
અમથું ઊગે મૌન ત્યારે મર્મ નીકળે કેટલા !

દોસ્ત! સંબંધોનું ખોલી નાખ એકેએક પડ
લાગણીના જો પછી સંદર્ભ નીકળે કેટલા !

વીજ પડશે કે પછી વરસાદ પણ વરસી પડે
જોઈને એકાદ વાદળ, તર્ક નીકળે કેટલા !

બાણ વાગે તે પછી શાયદ અલગ પાડી શકો
કેટલા છે સાધુ ને કંદર્પ નીકળે કેટલા !

દોસ્ત કે’ કયાંથી ઉતરડીશું ત્વચાને આપણે?
કાંચળી ફેંકી સહજ આ સર્પ નીકળે કેટલા !

લિપિ ઉકેલાશે નહીં, તો પણ તપાસી જો જરા
ફૂલ પરથી ઓસભીના સ્પર્શ નીકળે કેટલા !

-છાયા ત્રિવેદી

No comments:

Post a Comment