“શુ લઈ ને આવ્યા હતા, શુ લઈ ને જાવાના છે,
રાખ ના રમકડા રાખ મા ભળી જાવાના છે,
જાણકારો કહે છે મધ્યાહને છે સૂરજ એની ઉંમરના,
એક દિવસ એના કિરણો પણ વિખેરાઈ જાવાના છે,
આંખો મીંચી જેની પાછળ લાંબી દોટ મૂકી,
એ પૈસા પણ ક્યાં કામ આવવાના છે,
પ્રેમ કર્યો,દુઃખ સહ્યા,સાથે રહ્યા કે છૂટા પડ્યા,
લાગણીઓ આ બધી ક્યાં સંભારવાના છે,
માતા-પિતા, ભાઈ-બહેન, પ્રેમ કે વ્યભિચાર,
દરેક સંબંધો પાછળ વિસરાઈ જાવાના છે,
નથી હોતા ખિસ્સા કફન ને “બદનામ” ,
અનિતિ નુ ધન કેવી રીતે સાથે લઈ જાવાના છે,
એટલે કહુ છુ મિત્રો ચિંતા છોડી મોજ કરો,
આ દિવસો ક્યાં પાછા આવવાના છે,
રાખ ના રમકડા રાખ મા ભળી જાવાના છે”…
- જ઼ૈમિન – “બદનામ”
No comments:
Post a Comment