Google Search

Wednesday, August 8, 2012

પીરસતાં થાળી જરીક દાળ છલકી જાય


પીરસતાં થાળી જરીક દાળ છલકી જાય,
ગુસ્સે થવાને બદલે ત્યારે એ મલકી જાય !
છાની પીડાને પારખી શકે,
ઘૂંટાતી વેદનાને ચાખી શકે !
લાગણી અવ્યક્ત જાણી શકે,
જગજિતની ગઝલ માણી શકે !
મૌનની લિપિને જે ઉકેલી શકે,
સહજસ્પર્શે ભીતર જે ઉલેચી શકે !
આનંદમાં પૂર્ણત: ખીલી શકે !
ઉદાસીને એક ખભે ઝીલી શકે !
અજાણી કેડી પર ચાલી શકે !
ભેરુનો હાથ પણ ઝાલી શકે !
સઘળું મન વણબોલ્યે કળી શકે,
શક્ય છે…. મને એક જણ (એવું) મળી શકે !!!
– રેખા સરવૈયા

No comments:

Post a Comment