Google Search

Wednesday, August 8, 2012

નફરત છે મને…



એક હતો નથુરામ અને બીજો સાવરકર,
પ્રણ લીધું અખંડ ભારતનું એમ રહ્યા અમર..

આજ સુધી એમની આત્માઓ મોક્ષ માટે ઝંખે,
ભાષાવાદી નાગ-”રાજો” દરરોજ એમને ડંખે..

જે ધરતી પર આવા સ્વપ્નદ્રષ્ટા અવતર્યાં,
કમનસીબે હવે વિઘટનકારી-”રાજ” તરવર્યાં..

એ ધરતી-પુત્રો આજે ભારત-પુત્રો ને મારે,
ભાષાવાદથી રાજનિતીની મેલી દુકાનો તારે..

એવું કહેતાં ગર્વથી ફરે-વોટ અમને આપો,
ભાષા અને સંસ્ક્રુતિ નો હું જ એક રખવાળો!!

અખંડ ભારત દુર રહ્યું,હયાત ભારત તોડી પાડો,
ભૈયો-સિંધો-મલ્લાઓ ને મુંબઇમાં થી જ કાઢો..

મુંબઇકર કહે “રાજ”-કર્તો અમારો એકદમ છે સાચો,
અમારા જેવાં ગુજરાતી-મરાઠી ની વ્યથા પણ તમે વાંચો..

રહેતા પેઢીઓથી અહિં-ગળથૂંથી ગુજરાતી-ગુર્જરી જ વતન,
જો કોઇ ધરતી-પુત્ર મારે અમને તો ખુશ થશે તમારું મન??

ભાગલા પાડો-રાજ કરો ની નિતી બહુ પુરાની છે,
આ નિતી એ ભારતમા ને સદિયો ગુલામી આપી છે..

જેમણે વાપરી આ નિતી તે આજ બદનામિ ભોગવે છે,
સદભાવી ને આખરે તો સકળ લોક-જન વંદે છે..

ધર્મ-જાતિ પર કર્યાં ટુકડાં ત્યાં સુધી તો ઠીક,
ભાષાવાદને છંછેડશો હવે તો નિકળી જશે ચીંખ..

-ચિન્મય જોષી.

No comments:

Post a Comment