Google Search

Tuesday, August 7, 2012

અમસ્તા જ નથી પાગલ થતા લોકો


અમસ્તા જ નથી પાગલ થતા લોકો,
તેની પાછળ કૈંક કારણ હોય છે.
મદહોશ બનાવે છે પ્રેમીજનોને એવું,
ચાંદની રાત નું વાતાવરણ હોય છે.
લાગશે એ પણ મીઠા ભલે હોય ઝઘડા,
જેના છુપાયેલું પ્રેમ નું આવરણ હોય છે.
એક નજર પડતા ચોરાય જાય હૃદય,
પછી થતા એ દર્દનું ક્યાં મારણ હોય છે.
શું પૂર્ણ થયેલા પ્રેમ નો કોઈ મતલબ નથી ‘હોશ,
‘કે હંમેશા અધુરા પ્રેમ ના ઉદાહરણ હોય છે.
-શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

No comments:

Post a Comment