Google Search

Saturday, September 15, 2012

મન



સઘળા દુઃખનું કારણ મન છે,
સુખનું સરનામું પણ મન છે.

સઘળી આવન-જાવન મન છે,
દીવાનગી ને ડહાપણ મન છે.

સ્વયમ્ ધૂળ ને રજકણ મન છે,
થર બાઝેલું દર્પણ મન છે.

જીવન તો ખળખળ ઝરણાં સમ,
આ વિધ્નો આ અડચણ મન છે.

હું એવો ને એવો ભીતર,
આ બચપણ આ ઘડપણ મન છે.

શું સાધુ કે શું સંસારી ?
મૂળ બેઉનું કારણ મન છે.

બાંધે, જોડે – તોડે હરપળ,
સૌ સાથેનું સગપણ મન છે.

એ જ ઉઘાડે સકળ રહસ્યો,
અને સત્યનું ઢાંકણ મન છે.

આભ બની જઈ ઘડીક ટહુકે,
બીજી જ પળમાં ગોફણ મન છે.

શબ્દ-મૌન, મુક્તિ કે બંધન,
આ પણ મન છે, એ પણ મન છે.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

No comments:

Post a Comment