Google Search

Sunday, September 16, 2012

દષ્ટિ કરતું નથી



શહેરમાં કોઈ સાલું સમજતું નથી,
કે જીવન આજનું કાલ મળતું નથી !

આપ તો સાહ્યબીને જ વળગી રહ્યા,
આપને કોઈ દિલથી વળગતું નથી !

ના ખપે, ના ખપે, એ હૃદય ના ખપે,
જે કદી બુદ્ધિ જોડે ઝઘડતું નથી !

તોય દિલ, મોત સુધરી ગયાનું સમજ,
લોક રડતું નથી કિન્તુ હસતું નથી !

ભર બપોરેય અંધાર લાગ્યા કરે,
જ્યાં સુધી એમનું મુખ મલકતું નથી !

આપને એ જ વાતે જલન થાય કે –
હજુય મુજથી જગત કેમ જલતું નથી !

કેટલું કેટલું એય પીડાય છે ?
પાન જે પાનખરમાંય ખરતું નથી !

સૌ ખુદા, ગૉડ, ભગવાન પાછળ પડ્યાં,
પ્રેમમાં કોઈનું ધ્યાન પડતું નથી !

તોય વકરી રહ્યું છે ગઝલનું વ્યસન,
કોઈ ‘ઉત્સવ’ તરફ દષ્ટિ કરતું નથી !

– યોગેશ સામાણી ‘ઉત્સવ’

No comments:

Post a Comment