Google Search

Thursday, September 6, 2012

નિઃસ્વાર્થ પ્રેમ



જીંદગીનો મધ મીઠો સ્વાદ ચાખું છું,
જીવન મૌજ થી માણવાની
તમન્ના રાખું છું.
ન વસે કોઇ બેવફા મારા
હૃદય માં એ ડર થી,
હૃદય ના દરવાજા હંમેશા બંધ રાખું છું.
આ દુનિયામાં સ્વાર્થથી જ જીવી શકાય,
તોય નિઃસ્વાર્થ પ્રેમની વ્યાખ્યા આપું છું.
મળી છે પ્રેમમાં બેવફાઇ મુજને,
આજ સુધી પણ વફાદારીની
કામના રાખું છું.
બઘુ મેળવી પણ ખુશ નથી આજનો
માનવી,
સહુને ‘‘ખુશનસીબ’’ બનવાની
પ્રેરણા આપું છું.
નાજુક દર્પણ જેવું હૃદય છે મારું,
તોય નિઃસ્વાર્થ પ્રેમની વ્યાખ્યા આપું છું.
મળી છે પ્રેમમાં બેવફાઇ મુજને,
આજ સુધી પણ વફાદારીની
કામના રાખું છું.
બઘુ મેળવી પણ ખુશ નથી
આજનો માનવી,
સહુને ‘‘ખુશનસીબ’’
બનવાની પ્રેરણા આપું છું.
નાજુક દર્પણ જેવું હૃદય છે મારું,
તોય પત્થર દિલ લોકોથી પ્રેમ રાખું છું.
આજ માટીમાં જન્મ્યો ને
માટીમાં જ ભળી જઇશ,
પણ મારી ખુશ્બુ રહે સદા આ માટી માં
એવી કામના રાખું છું.

-સુનીલ એલ.પારવાણી ‘‘ખુશનસીબ’’

No comments:

Post a Comment